માંડવીના ફરાદી ગામે એક રાતમાં ૪ મંદિરના તાળા તૂટતાં ગ્રામજનોમાં રોષ

માંડવી તાલુકાના ફરાદી ગામે તસ્કરોએ એક રાતમાં ગામના ચાર મંદિરો રામ મંદિર, આશાપુરા મંદિર, રામેશ્વર મંદિર, થલેશ્વર સોની સમાજના કુળદેવી મંદિરના તાળા તોડતાં લોકોમાં ભારે રોષ છવાયો છે.જયારે મંદિરમાંથી ૪૬ હજાર રૂપિયાની ચોરી થઇ છે. આ બનાવ પછી રાજપૂત સમાજ, સોની સમાજ, સનાતન હિન્દુ સમાજના આગેવાનો માંડવી પોલીસ સ્ટેશને ઘસી ગયા હતા અને તસ્કરોને ઝડપી પાડવા માંગ કરી હતી.