મનિષાએ વિવાદ બાદ જયંતિ ભાનુશાળીનાં ભત્રીજાની અશ્લીલ સીડી બનાવી હતી

પોલીસને હજુ પણ ભાનુશાળીનો મોબાઇલ મળ્યો નથી. આ મોબાઇલમાં કેટલાક વાંધાજનક વીડિયો હોવાનું માનવામાં આવે છે.

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પોલીસે મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉનાં 12 દિવસનાં રિમાન્ડ મેળવ્યાં છે. ત્યારે આ બંન્નેની ઝીણવટભરી તપાસ ચલાવી છે. મનિષાને ભાનુશાળી સાથે તબેલાનાં વિવાદમાં બદલો લેવાનાં હેતુથી જ ભાનુશાળીનાં ભત્રીજાને ફસાવીને તેની અશ્લિલ સીડી બનાવી હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત પણ મનિષા સાથે છબીલ પટેલ અને જયંતિ ભાનુશાળી સાથેનાં સંબંધો અંગે પણ પૂછપરછ કરી રહી છે. પોલીસને હજુ પણ ભાનુશાળીનો મોબાઇલ મળ્યો નથી. આ મોબાઇલમાં કેટલાક વાંધાજનક વીડિયો હોવાનું માનવામાં આવે છે.જયંતિ ભાનુશાળીની હત્યામાં પોલીસે બે શાર્પ શૂટર, મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ, છબીલ પટેલ સહિતનાં મોટાભાગનાં આરોપીઓને ઝડપી લીધા છે. આ ઉપરાંત મનિષાનાં સંબંધ જયંતિ ભાનુશાળી સાથે સારા હતા તો તે એકદમ છબીલ પટેલ સાથે કેમ ભળી ગઇ આ અંગે પણ ઉંડાણમાં પૂછપરછ કરી શકે છે.