ભુજમાં બંધ મકાનના તાળા તોડી ૮૦ હજારની ચોરી

ભુજના અરિહંત નગર માં તસ્કરો એક મકાનને નિશાન બનાવી ઘરના દરવાજાનો નકૂચો તોડી અંદરથી રોકડ રકમ અને સોના ચાંદીના આભૂષણો સહિત ૮૦ હજાર ની માલમતા ચોરી કરીને લઇ ગયા હતા ભુજ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના અરિહંત નગર મા રહેતા પ્રવિણકુમાર યોગેશકુમાર ત્રિવેદી ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ને ઘરના મુખ્ય દરવાજા ના તાળા તોડી અંદરથી રોકડા રૃપિયા ૪૨ હજાર તેમજ સોના-ચાંદીના આભૂષણો સહિત કુલ રૂ ૭૯ હજારની માલમતા ચોરી કરીને લઇ ગયા હતા ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે આ બનાવ તારીખ ૩-૧૧-૨૦૧૯ ના દસ વાગ્યાથી તારીખ ૬-૧૧-૨૦૧૯ ના દસ વાગ્યા દરમિયાન બન્યો હતો મકાનમાલિક બહાર હતા એ દરમિયાન આ બનાવ બન્યો હતો હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે