જામનગર ખાતે યોજાયેલા લશ્કરી ભરતીમેળામાં જિલ્લા રોજગાર કચેરીના પસંદગી પામેલા તાલીમાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ યોજાયો

આજરોજ કલેકટર કચેરી, ભુજ ખાતે જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા યોજાયેલ સંરક્ષણદળની તાલીમ લીધેલા કુલ ૧૩ યુવાનોની પસંદગી જામનગર ખાતે યોજાયેલ લશ્કરી ભરતીમેળામાં સોલ્જર જનરલ ડયુટી તરીકે સીલેક્સન થતાં તેઓનો સન્‍માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં કચ્છ જોલ્લાના શ્રી પ્રદીપસિહ ભાણજીભાઈ જાડેજા, ગામ: અજાપર તા. અંજાર, શ્રી રાહુલસિંહ અશ્વિનસિંહ ઝાલા, ગામ: તલવાણા, તા. માંડવી, શ્રી પારસ દેવજીભાઈ ચાવડા, ગામ: લાખોંદતા. ભુજ, શ્રીહરેશ કલાભાઈ રબારી, ગામ: સુખપર-રોહા, તા. નખત્રાણા, શ્રી અનિરુદ્ધસિંહ ભુપતસિંહ જાડેજા, ગામ: વડવાડાયા, તા. નખત્રાણા, શ્રી હરપાલસિંહ માવુભા જાડેજાલ, ગામ: વામોટી નાની, તા. અબડાસા, શ્રી કરણસિંહ ભુરજી રાઠોડ, ગામ: વેડદાર મોટી, તા. નખત્રાણા, શ્રી વિજય શિવરાજભાઇ ગઢવી, ગામ: ભાડા તા. માંડવી, શ્રી સોઢા હિમત સિંહ લખામ્સિંહ, ગામ: ઝુરા, તા. ભુજ, શ્રી જયેન્દ્રસિંહ રાણુંભા જાડેજા, ગામ: ગજોડ, તા. ભુજ, શ્રી સંજય દનીચા દાનજીભાઈ, ગામ: પત્રી, તા. મુન્દ્રા, શ્રી મેહલ મેમાભાઈ ચાવડા, ગામ: દેશલપર,તા. મુન્દ્રા યુવાનો જામનગર ખાતે યોજાયેલ નવેમ્બર ૨૦૧૯માં લશ્કરી ભરતીમેળામાં શારીરિક પરીક્ષા, મેડીકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા પાસ થતા તેઓની પસંદગી સોલ્જર જનરલ ડયુટી ઇન્ડિયન આર્મીમાં થયેલ છે.

આ યુવાનોનું સન્‍માન કચ્છ જિલ્લા કલેકટર શ્રીમતિ પ્રવિણા ડી.કે. ના હસ્તે કરવામાં આવેલ હતું. સાથે સાથે જીલ્લા રોજગાર કચેરી દ્વારા યોજવામાં આવેલ સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગમાં ફીજીકલ માસ્ટર ટ્રેનર શ્રી ભારતભાઈ જે. સુથાર કે જેઓ એક્શ સર્વિસમેન અને કારગીલ યુદ્ધમાં વિજેતા રહી ચુકેલા છે. તેઓનો સન્‍માન પણ માન. કલેકટર મેડમના હસ્તે કરવામાં આવેલ હતું. જીલ્લારોજગાર કચેરી, ભુજ કચ્છ દ્વારા યોજવામાં આવેલા બી.એસ.એફ. તાલીમવર્ગમાંમાસ્ટર ટ્રેનર તરીકે સેવા આપનાર હેતરામ સાહેબ, શ્રી રાજેશ કુમાર અને શ્રીકુલ્દીપભાઈનું સન્‍માન પણ માન. કલેકટર મેડમ દ્વારા કરવામાં આવેલ હતું.

જીલ્લા રોજગાર કચેરી દ્વારા ગત વર્ષમાં કચ્છ જીલ્લાના યુવાનો સરક્ષણદળમાં સફળ કારકિર્દી બનાવી શકેતે માટે જીલ્લા રોજગાર કચેરી દ્વારા ભરીપૂર્વે 30 દિવસના સ્વામી વિવેકાનંદ સરક્ષણદળ નિવાસી તાલીમવર્ગનું આયોજ શ્રી નવચેતન અંધજન મંડળ, માધાપર ખાતે અને ભુજ ખાતેની બી.એસ.એફ. બટાલિયન ૧૦૮ અને ૭૯ અને ગાંધીધામ ખાતે બી.એસ.એફ. બટાલિયન૧૦૫અને ૧૫૦માં નિવાસી તાલીમવર્ગ કરવામાં આવેલ હતો. આમ આ તાલીમમાં 30 દિવસ માટે તાલીમ આપવામાં આવે છે. જેમાં ઉમેદવારોને રહેવાઅને જમવાનું ગુજરાત સરકાર દ્વારા નિઃશુલ્ક પૂરું પાડવામાં આવે છે. આ તાલીમ વર્ગમાં શારીરિક, લેખિત પરીક્ષાની નિષ્ણાંત તજજ્ઞો દ્વારા સઘન તાલીમ આપવામાં આવે છે. આ તાલીમવર્ગને સફળ બનાવામાં માટે જીલ્લા રોજગાર અધિકારીશ્રી એમ.કે.પાલા, રોજગાર કચેરીના કાઉન્સેલર શ્રીપ્રમોદ કુમાર ઉપાધ્યાય, શ્રીજગદીશ મારવાડા અને શ્રીસદામ સમા ખુબ જહેમત ઉઠાવી હતી.