અંજારમાં ટ્રેનની અડફેટે આધેડનું મોત

કચ્છના અંજાર રેલવે ફાટક નજીક ટ્રેનની અડફેટે આધેડનું મોત નીપજ્યું છે. મુંબઇથી ભુજ આવતી સયાજીનગરી ટ્રેનની હડફેટે આધેડનું મોત નીપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. વહેલી પરોઢે છ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ભોગ બનનાર વ્યક્તિએ ટ્રેન નીચે આવી ઝંપલાવ્યું હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે હાલ પોલીસે મૃતકની ઓળખ માટે તજવીજ હાથ ધરી છે