સાઇકલોનિક સકર્યુલેશનને કારણે ગઈકાલ સાંજથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે . આવતીકાલે કચ્છ, દ્રારકા, પોરબંદર સહિત સૌરાષ્ટ્ર્રમાં અમુક સ્થળોએ માવઠાની શકયતા હવામાન ખાતા દ્રારા વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર્ર ઉપરાંત બનાસકાંઠા, વલસાડ, દિવ, દમણ,દાદરા નગરહવેલીમાં પણ માવઠુ થશે તેમ હવામાન ખાતા દ્રારા જણાવાયું છે. પલટાયેલા વાતાવરણના પગલેઆજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે જોરદાર વધી ગયું છે .પવનની ગતિમાં વધારો થતાં સવારે આહલાદક વાતાવરણ બન્યું હતું. એટલું જ નહીં અમુક સ્થળોએ ઝાકળ પણ જોવા મળી હતી.રાજકોટ,કેશોદ અને જૂનાગઢમાં ૮૭ ટકા ભેજ જોવા મળ્યો હતો.પોરબંદર અને વેરાવળમાં ૮૪%, ભુજમાં ૮૫%, સુરેન્દ્રનગરમાં ૮૪%, અમરેલીમાં ૬૬ ટકા અને નલિયામાં ૮૩ ટકા ભેજ સવારે જોવાયો હતો.હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ ગરમીનું જોર વધશે પરંતુ બે દિવસ બાદ તાપમાનનો પારો સામાન્ય નીચે ઉતરશે. લઘુત્તમ તાપમાન પણ સમગ્ર રાયમાં સરેરાશ ૨૦ થી ૨૨ ડિગ્રી વચ્ચે રહેવા પામી છે.૩૫ ડિગ્રી સુધી પહોંચી ગયેલો મહત્તમ તાપમાનનો પારો થોડો નીચે ઊતર્યેા છે પરંતુ આજથી ફરી તેમાં પણ વધારો થશે તેમ આગાહીમાં જણાવાયું છે.