પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે રાપરમાં રહેતા વિનોદ ભાઈ કરમશીભાઈ ભગતે તે સરપંચ વિરુદ્ધ આર.ટી.આઈ કરી હતી જેનુ મનદુખ રાખી ને મહેશ વીસનજી રૂપારેલ પરેશ વીસંજી રૂપારેલ પંકજ વિશનજી રૂપારેલ નિલેશ ડુંગરસિં રૂપારેલ સૌરભ હરેશ રૂપારેલ જીત અરવિંદ રૂપારેલ, જયકુમાર ખટાઉ રૂપારેલ, પ્રવીણ ખટાઉ સહિત નવ શખ્સોએ તામિલ અને કુહાડી જેવા ઘાતક હથિયારોથી વિનોદભાઈ ના પુત્ર રોહન અને વિનોદ ભાઇને પિતા કરમશીભાઈ મેઘજી ભગત ઉપર હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઇજાગ્રસ્તોને કાર્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સામા પક્ષે પણ પરેશ વીસનજી રૂપારેલ કરેલી ફરિયાદમાં કહ્યું છે કે પરિવારજનો ના જુના મુદ્દા ઉખેડીને સોશિયલ મીડિયામાં વાયરલ કરીને બદનામ કરવાની કોશિશ કરી હતી આ મામલે આરોપી વિનોદ ભાઈ ના ઘરે પૂછવા જતા કરમશીભાઈ, વિનોદભાઈ, સૌરભ, રોહન અને કીર્તિ સહિતનાઓએ ધોકા અને કુહાડીથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી બંને પક્ષોએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે