આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે આદિપુર 64 બજારમાં કુમાર એન્ટરપ્રાઇઝ નામની દુકાન છે તેમના માલિક-ઓનર કુમાર ઉર્ફે સુરેશ ગોવિંદરામ આસવાણી એ જય ભગવાન મિત્ર મંડળ નામની લોભામણી સ્કીમ શરૂ કરીને લોકોને રૂપિયા રોકવાનું કઈ ને કુમાર આશવાણી, દેવજી રામજી આહીર અને અરવિંદ ઉર્ફે વાસુ સુંદરદાસ જિનવાની એ લોકોને વિશ્વાસમાં લઈ આ સ્કીમમાં રૂપિયા ઉઘરાવ્યા હતા અને ડ્રો લાગે તો ૫૫ હજાર રૂપિયા રોકડા આપી દેવાના નહિતર છેલ્લે આ રોકડ રકમ આપવાની વાત કરી હતી જેના પગલે રીતેશભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ એ આ સ્કીમ હેઠળ દર મહિને પંદરસો રૂપિયાના હપ્તા ભરી ને રૂપિયા રૂપિયા હતા સ્કીમ પૂરી થાય પણ હજુ સુધી તેઓને 55 હજાર રૂપિયા મળ્યા નથી અને આ ત્રણેય શખ્સો તેમની સાથે ઠગાઇ કરી છે ભોગ બનનાર રીતેશભાઈ પરસોતમભાઈ પ્રજાપતિ એ નોંધાવેલી ફરિયાદના આધારે આદિપુર પોલીસે આ ત્રણેય શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે