ફાર્માસીસ્ટ ન હોઈ કચ્છની ૧૫ દવાની દુકાનોના પરવાના રદ્દ

કચ્છ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા હાથ ધરાયેલ તપાસ દરમ્યાન ૧૫ દવાની દુકાનોમાં ફાર્માસીસ્ટ છુટા કરાયા બાદ નવા ફાર્માસીસ્ટ નિયુકત કરાયા નહોતા. તે અંગે કચેરી દ્વારા નોટિસ અપાયા બાદ પણ દવાની દુકાન વાળાઓ દ્વારા નવા ફાર્માસીસ્ટની નિયુકિત ન કરાતાં અંતે તેમના પરવાના રદ્દ કરાયા છે. કચ્છના આસી. કમિશનર વી.પી. સોલંકીએ હજીયે ૨૦ દુકાનોને આ અંગે નોટિસ અપાઈ હોવાનું જણાવ્યું હતું