કચ્છમાં કોરોનાના જોખમથી તમામ જાહેર કાર્યક્રમો રદ કરવાનો આદેશ

કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. જેમાં આગામી બે દિવસો માટે મહિલા દિન નિમિત્તે યોજાનારા ગેટ ટુ ગેધરના કાર્યક્રમો મોકુફ રાખવાની સુચના ઉચ્ચસ્તરેથી અપાઈ હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.પ્રાપ્ત વિગતો કોરોનનાના કહેર વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા તકેેદારીના પગલા લેવાયા છે. ઉચ્ચસ્તરેથી અપાતી સુચનાઓનું અમલીકરણ કરાઈ રહ્યું છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે મહીલા દિનના ઉજવતા કાર્યક્રમો રદ કરવાની સુચના અપાઈ છે. જેના પગલે ભુજમાં યોજાનારા કાર્યક્રમો મોકુફ રખાયા હોવાનું જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ જણાવ્યું હતું. વધુ માહીતી આપતા કહ્યું હતું કે કોરોનાને લઈને કચ્છના એરપોર્ટ તેમજ બંદરો ઉપર બહારથી આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે અને કોરોના ન ફેલાય તે માટે તકેદારીના પગલા રાખવામાં આવી રહ્યા છે. કચ્છમાં નોંધાયેલા ૬૩ જેટલા સસ્પેકટેડ કેસો નેગેટીવ આવ્યા છે. જો કે દેશમાં કોરોનાના ૩૦ પોઝીટીવ કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે તેને લઈને તમામ તકેદારીઓ લેવાઈ રહી છે.