રાપર તા.પં.ના સભ્ય સહિતના આગેવાનો આમ આદમીમાં જોડાયા

રાપર તાલુકા ખાતે આમ આદમી પાર્ટીની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં રાપર તાલુકા પંચાયતના પલાંસવા બેઠકના કોંગ્રેસના સભ્ય લખમણ સોલંકી રાજપુત આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા સમિતિના મંત્રી ભારત ચાવડા પણ જોડાયા હોવાનું જણાવાયું હતું. પુર્વ કચ્છ જીલ્લાના પ્રમુખ રોશનઅલી સાધાણીએ આ બાબતની જાહેરાત કરીને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ રાપરમાં યુવા સંમેલન યોજવામાં આવશે. શહેર અને તાલુકામાં પાર્ટી આવનારી નગરપાલિકા, તાલુકા પંચાયતની ચુંટણી લડશે. આ બેઠકમાં કે.કે.અન્સારી, ડાયાભાઇ આહીર, નરસિંહભાઇ મેવાડા વગેરે હાજર રહ્યા હોવાનેા દાવો કરવામાં આવ્યો હતો.