રાપર તાલુકા ખાતે આમ આદમી પાર્ટીની મીટીંગ યોજવામાં આવી હતી જેમાં રાપર તાલુકા પંચાયતના પલાંસવા બેઠકના કોંગ્રેસના સભ્ય લખમણ સોલંકી રાજપુત આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા સમિતિના મંત્રી ભારત ચાવડા પણ જોડાયા હોવાનું જણાવાયું હતું. પુર્વ કચ્છ જીલ્લાના પ્રમુખ રોશનઅલી સાધાણીએ આ બાબતની જાહેરાત કરીને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ રાપરમાં યુવા સંમેલન યોજવામાં આવશે. શહેર અને તાલુકામાં પાર્ટી આવનારી નગરપાલિકા, તાલુકા પંચાયતની ચુંટણી લડશે. આ બેઠકમાં કે.કે.અન્સારી, ડાયાભાઇ આહીર, નરસિંહભાઇ મેવાડા વગેરે હાજર રહ્યા હોવાનેા દાવો કરવામાં આવ્યો હતો.