કરંજ ગામ ખાતે માતા – પિતા કામ પર ગયા હતા ત્યારે કોઈ અગમ્ય કારણસર 11 વર્ષની તરૂણીએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જોકે, તરૂણીનું આત્મહત્યાનું પગલું ભરવા પાછળનું કારણ પોલીસ જાણી શકી નથી.માંડવી તાલુકાના કરંજ ગામ ખાતે દ્રષ્ટિ કોમ્પલેક્ષ માં રહેતા સૌખીલાલ કનૈયાલાલ યાદવ (40)(મૂળ. રહે. થાનગઢ, મધ્ય પ્રદેશ) તથા તેની પત્ની સવિતાબેન સૌખિલાલ યાદવ પોતાના કામ પર ગયા હતા ત્યારે સાંજે 6.00 વાગ્યાના સુમારે સૌખીલાલ પર ફોન આવ્યો હતો, કે તેમની પુત્રી અર્ચના સૌખીલાલ યાદવ (11) એ છતના ભાગે આવેલ એંગલ પર કપડાં વડે ફાંસો ખાઇ લીધો છે. આ વાતની જાણ થતાં સૌખીલાલ તરત જ પોતાના ઘરે ગયા હતા. જ્યાં તેઓને તેમની પુત્રીનો મૃતદેહ જોવા મળ્યો હતો. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઘટના અંગે માંડવી પીએસઆઈ જય વળવીએ જણાવ્યું કે, મેડિકલ ચેકઅપ કરાવ્યું છે પરંતુ કોઈ પણ શંકાસ્પદ રિપોર્ટ આવ્યો નથી. તરૂણીના માતા પિતાના નિવેદનોમાં પણ આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. પાડોશીઓના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.