ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સેક્ટર 7 પ્લોટ નંબર 81 માં રહેતા વિનોદભાઈ બુધાભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 47 ના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ને કબાટ માં રાખેલા ચાંદીના ઝાંઝર 3 તેમજ રોકડા રૂપિયા 27000 અને મંદિરમાં રાખેલી રોકડા રૂપિયા 7000 તથા ચાંદીના સિક્કા 4 બે મોબાઈલ સહિત કુલ રૂપિયા 52200 માલમતા તસ્કરો ચોરી કરીને લઇ ગયા હતા વિનોદભાઈ મહેશ્વરી પોતાના ની ગુજરી ગયા હતા ત્યાં ગયા હતા રાત્રિના પરત આવ્યા બાદ આ ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો તેમણે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે