અંજાર પોલીસ વિગતો આપતા જણાવ્યું કે શહેરના ગુરુકુલ એક મકાન નંબર 152/બી રહેતા રફિકભાઈ અકબરભાઈ અથનીયા પોતાના પરિવાર સાથે રાજસ્થાન ગયા હતા ત્યારે પાછળથી તસ્કરોએ ઘરને નિશાન બનાવીને બંધ ઘરના તાળા તોડી અંદરથી સોનાનું બિસ્કીટ સોનાનો ચેન અને રોકડા રૂપિયા 135000 સહિત કુલ એક લાખ 55 હજાર રૂપિયા ચોરી કરીને લઇ ગયા હતા તેમજ સામે રહેતા ઝાકીર હુસેન ભાઈ કાસમભાઈ બાવા ના મકાનમાંથી પણ તસ્કરો સોનાની વિટી સોનાની પાંચી ચાંદીની વીંટી ચાંદી ની ચેન રોકડા રૂપિયા 7000 સહિત કુલ રૂ ૨૦ હજારની માલમતા ચોરી કરી લઇ ગયા હતા બંને મકાનમાંથી તસ્કરો કુલ રૂપિયા 175000 ની માલમત્તાની ચોરી કરીને લઈ ગયા હતા બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી આ અંગે રફિકભાઈ અથાણીયા એ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.