ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે કબરાવ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર ભરતભાઈ લક્ષ્મણભાઈ પટેલ ઉમર વર્ષ 37 એ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો આ મામલામાં તત્કાલીન સમયે પારિવારિક ઝઘડો હોવાનું સપાટી પર આવ્યું હતું ભોગ બનનાર શિક્ષકના મોટાભાઈ હર્ષદકુમાર લક્ષ્મણભાઈ પટેલ એ ફરિયાદ નોંધાવી છે કે શિક્ષક ભરતભાઈ ના સાસુ જોસના બેન પ્રવીણ પટેલ તેનો સસરા પ્રવીણ ભવાન પટેલ અને તેનો સાળો જતીન પ્રવિણ પટેલ ખોટી રીતે હેરાન કરીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય તેમજ ભરતભાઈ ના પત્ની પિયર ચાલ્યા ગયા બાદ ભરત તેના પરિવારજનો સાથે આવ્યા હતા અને ભરતભાઈ ને હેરાન પરેશાન કર્યા હતા શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો જેના કારણે ભરતભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ભોગ બનનારના ભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ભોગ બનનારના સાસુ-સસરા અને તેના સાળા સામે મરવા મજબૂર કરવા સહિતની કલમો તળે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.