ગુજરાતમાં લોકડાઉન લંબાવાયું, બહાર નિકળ્યા તો કેસ અને વાહન જપ્ત થશે

ગુજરાતમાં કોરોનાના ઝડપથી વધતા કેસો તેમજ લોકલ ટ્રાન્સમિશન વધતાં ગુજરાત સરકારે લોકડાઉનને 31મી માર્ચ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ સાથે રાજ્યના મુખ્ય શહેરો ઉપરાંત અન્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવે તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં કહ્યું હતું કે ગુજરાતમાં હાલ કોરોનાનો વાયરસ ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યો છે. આ ત્રીજા સ્ટેજમાં કોમ્યુનિટી ટ્રાન્શમિશન થઇ રહ્યું છે તેથી રાજ્યની જનતાને અપીલ કરૂં છું કે અરજન્ટ કામ સિવાય બહાર ન નિકળે. નિયત કરેલા શહેરોમાં 31મી માર્ચ સુધી લોકડાઉન રહેશે.
ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ઉપરાંત ગાંધીનગર અને કચ્છમાં અત્યારે લોકડાઉન છે ત્યાં 31મી માર્ચ સુધી યથાવત રહેશે.