કોરોના વાઈરસ સામેની લડતમાં લોકોની નિંભરતા વધુ મુશ્કેલી સર્જી શકે છે ત્યારે લોકોને નિયમ ભંગ કરતા અટકાવવા જવાબદાર તંત્ર તાથા જાગૃતો અવનવા નુસખા અજમાવી રહ્યા છે. મોટા અંગીયામાં લોકોને બહાર ઓટલા પર બેસતા રોકવા ઓઈલાથી કાળા કરવાની ફરજ પડી હતી.દુરના ગામડામાં રહેતી અભણ પ્રજામાં જાગૃત ન હોવાથી આ બાબતે પુરતી તકેદારી રાખતા ન હોવાથી આ પગલા ભરવાની જાગૃતોને ફરજ પડી હતી. આ અંગે ગામના જાગૃત નાગરીક હુસેન બકાલીએ જણાવ્યું હતું કે, લોકોને છેલ્લા એક સપ્તાહાથી વિનંતી કરી રહ્યા છીએ પરંતુ લોકો બહાર ઓટલે બેસવાનું છોડતા નાથી. જેાથી નાછુટકે આ કદમ લેવામાં આવ્યું છે. ચીકણા ઓઈલ રેેડીને ગામના ઓટલા કાળા કરવામાં આવ્યા છે. જેાથી લોકો બહાર બેસવાનું ટાળે અને ૨૧ દિવસ સુાધી ઘરમાં જ બેસી રહે. ઉપરાંત સરપંચ ઈકબાલ ઘાંચીએ જણાવ્યું હતું કે, નાના એવા ગામમાં લોકોને જાગૃતિ માટે લાઉડસ્પીકરાથી સંદશો આપતી રીક્ષા ફેરવવામાં આવી છે. તેમજ ગામના પાંચ યુવાનો સ્વયંસેવક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જે ગામમાં ભીડ કરતા લોકો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ગામના બે રસ્તાઓ સંપુર્ણ બ્લોક કરવામાં આવ્યા છે.