જુનાગઢ: ભવનાથની તળેટીમાં દીપડાએ અઠવાડિયામાં બીજા સાધુને ફાડી ખાતા હાહાકાર
જૂનાગઢની ભવનાથની તળેટી સંખ્યાબંધ ગિરનારી સાધુઓનો વસવાટ છે. સંત મહાત્માઓના અહીંયા આશ્રમો આવેલા છે. ભવનાથ ગિરનાર પર્વતની તળેટી છે અને તેથી જ અહીંયા અવારનવાર સિંહ અને દીપડા આંટાફેરા કરતા હોય છે પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં દીપડાએ બે સાધુ પર હુમલા કરી અને ફાડી ખાતા હાહાકાર મચી ગયો છે. આજે ફરી એક સાધુ દીપડાના હુમલામાં મોતને ભેટ્યા છે.
