અંજારમાં ગેસના બાટલાના રૂપિયા બાબતે દંપતીને માર માર્યો

અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગાયત્રી સોસાયટી એક માં રહેતા ૩૭ વર્ષીય હિતેશભાઈ શાંતિલાલ સોની જમનોત્રી સોસાયટી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સોસાયટીમાં રહેતા રાજુ વાણિયાએ તમને બોલાવ્યા હતા અને તેમના પડોશી પાસેથી હિતેશભાઈ એ તેમના મિત્રને અપાયેલા ગેસના બાટલાના રૂપિયા મોડા પહોંચાડવા બાબતે રાજુ વાણીયા તેના ભાઈ અને રાજુ વાણિયાના પત્નીએ સાથે મળીને હિતેશભાઈ સોની તેમજ તેમના પત્નીને માર માર્યો હતો પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.