રાપરમાં યુવતીનો ગળેફાંસો ખાઈને આપઘાત

રાપર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે રાપરના તકિયા વાસ માં રહેતી નીલમબેન નાનજી ભાઈ ગોહિલ ઉંમર વર્ષ ૧૯ એ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પ્રાથમિક તપાસમાં નીલમબેન ગોહિલની કીડિયાનગરમાં રહેતા મહેશભાઈ પાંચાભાઇ પરમાર સાથે સગાઇ થઇ હતી લાકડીયા નજીક અકસ્માતમાં નીલમબેનના ભાવિ ભરથાર મહેશભાઈ પાંચાભાઇ પરમારનું મૃત્યુ નીપજયું હતું તેનું લાગી આવતા નીલમબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું બહાર આવી રહ્યું છે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.