આજેઅમદાવાદથીદિલ્હીનીટ્રેનશરૂસાબરમતી સ્ટેશનથી દિલ્હીજવાપ્રથમટ્રેનરવાના થશે

ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે.રાજ્યના પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝાએ આ ટ્રેન સેવાના યાત્રિકો અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે.એટલું જ નહિ, આવા યાત્રિકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારાવાહનચાલકનીઅવર-જવર માટે કન્ફર્મ ઇ-ટિકીટને માન્ય રાખવામાં આવશે.પોલીસ મહાનિદેશકએ વધુમા જણાવ્યું છે કે, આ હેતુસર અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહિ.