તા. માંડવી, તાલુકાના મોટા ભાડિયા ગામના વાડી વિસ્તારમાં તાજેતરમાં રક્ષિત અને નિશાચર ઘુવડ પક્ષી દિવસે નજરે ચડતાં તેને પ્રાગપર ખાતે આવેલા એન્કરવાલા અહિંસાધામ ખાતે મૂકવામાં આવ્યું હતું. આ ગામના ખેડૂત વીરાભાઈ વિઘાણીની વાડીએ અચાનક સવારમાં આવી પડેલા આ નિશાચર પક્ષીને જોતાં કુતૂહલ સર્જાતાં પક્ષીની નજીક જઈ તપાસ કરતાં આ ઘુવડ ઘાયલ અવસ્થામાં હોવાનું માલુમ પડયું હતું. તેની પ્રાથમિક તબક્કાની સેવા-શુશ્રૂષા પક્ષીપ્રેમીઓ દ્વારા કરાઈ હતી. કોઈ કૂતરાએ આ ઘુવડની પાંખો સહિત એક-બે જગ્યાએ તેને મારેલા જખમથી ઊડવાની ક્ષમતા ખોઈ દીધી હોવાનું ખેડૂત અગ્રણી અને માંડવી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ખેરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું. દરમ્યાન તેને એન્કરવાલા અહિંસાધામ ખાતે સુપરત કરાયું હતું.’