હવામાન શાસ્ત્રી અંબાલાલની મોટી આગાહી: ગુજરાત સંકટમાં મૂકાશે? 20મી સુધીમાં અનેક જગ્યાએ આંધી, તોફાન, વંટોળ આવે તેવી શક્યતા

ચોમાસાની ગતિવિધિ અંગે જોતા પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ થવામાં છે. બંગાળના ઉપસાગરમાં આ વખતે ચક્રવાતો પણ સર્જાતા હોય છે. આંદામાન સાગર ઉપર ચોમાસું પહોંચી અને ત્યારપછી કેરળ કાંઠે જૂન માસમાં પહોંચતું હોય છે. આંદામાન-નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ જોતા તા.૨૦ મે સુધીમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા છે.તા.૧૬ મે આંદામાન-નિકોબાર ટાપુના ઘણા ભાગો, ઓરિસ્સા, કેરળ તેમજ લક્ષદીપના કેટલાક સ્થળોએ ઝાપટા, હિમાલિયન રિજીયન, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, હિમાચલપ્રદેશ, જમ્મુ-કશ્મીરના કેટલાક ભાગો, આસામ, મેઘાલય, પૂર્વીય ઉત્તર પ્રદેશ, તમિલનાડુના દૂરના પ્રદેશમાં વરસાદી ઝાપટા પડવાની શકયતા છે.તા.૧૭ મેએ દક્ષિણ પૂર્વ ઉપસાગરમાં ભારે વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં સખ્ત ગરમી પડતા આ ભાગો પણ તપી ઉઠે અને ચોમાસાની ગતિવિધિ પોષક બને.હાલમાં તા.૨૦ મે સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં આંધી, વંટોળનું પ્રમાણ વધે, ધૂળભરી આંધી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા રહે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શકયતા રહે, તેમ અંબાલાલ દા. પટેલ જણાવ્યું છે.