ગેંગસ્ટર ટાઈગર હનીફ ભારતને સોંપવાનો બ્રિટનનો ઈનકાર કરાયો

બ્રિટન સરકારે ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના ભાગીદાર ટાઇગર હનીફની સોંપણી ભારતને કરવાની ના પાડી દીધી છે. હનીફ ટાઈગર ૧૯૯૩ ગુજરાતના સુરતમાં બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિટન સરકારના આ નિર્ણય પાછળ બ્રિટનમાં પાકિસ્તાની મૂળના નેતા સાજીદ જાવેદનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારત ટાઈગર હનીફના પ્રત્યાર્પણ વિશે ફરી અપીલ નોંધાવે તેવી શકયતા છે.

૫૯ વર્ષીય હનીફની ૨૦૧૦માં યુકેમાં જ ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય ગુચર એજન્સીઓની માહિતી પર ત્યાંની પોલીસે આ કાર્યવાહી કરી હતી. તેના પ્રત્યાર્પણનું વોરટં પણ ભારતીય અધિકારીઓએ મેળવ્યું હતું. ટાઇગરે તેને કોર્ટમાં પડકાયુ હતું. એપ્રિલ ૨૦૧૩માં બ્રિટિશ હાઇકોર્ટે તેની અપીલ નામંજૂર કરી હતી. ત્યારબાદ તેનો કેસ યુકેના ગૃહ સચિવને સોંપવામાં આવ્યો હતો. જો કે, આ કેસ ઘણા વર્ષેા સુધી ચાલ્યા પછી યુકેના એ વખતના ગૃહ સચિવ (૨૦૧૮–૧૯) સાજિદ જાવેદે ટાઈગરના ભારત પત્યાર્પણ માટે ઈનકાર કરી દીધો હતો.ટાઇગર હનીફને હનીફ મોહમ્મદ ઉમરજી પટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ૧૯૯૩માં ગુજરાતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના આરોપી ઇકબાલ મિર્ચી સાથે પણ સંકળાયેલો છે. તેમણે સુરતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી. તેમાં આઠ વર્ષની એક બાળકીનું મોત નીપયું હતું. ૧૯૯૨ની બાબરી મસ્જિદ તોડવાનોબદલો લેવા સુરત રેલ્વે સ્ટેશન પર બોમ્બ ધડાકામાં પણ તે આરોપી છે. તેમાં દસથી વધુ લોકો ઘાયલ થયા