ભારતીય વાયરસ ચીન અને ઈટાલી કરતા પણ વધારે જીવલેણ: નેપાળના વડાપ્રધાન


ભારત અને નેપાળમાં સરહદી વિવાદ લઈને વધી રહેલા તણાવ વચ્ચે નેપાળના વડાપ્રધાન કેપી ઓલીએ કોરોના વાયરસ માટે ભારતને જવાબદાર ઠેરવવાનો સંકેત આપ્યો છે. ઓલીએ ભારતથી નેપાળમાં આવતા કોરોના વાયરસના કેસને વધારે જીવલેણ ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે નેપાળમાં પોઝિટિવ કેસો ભારતથી ગેરકાયદેસર નેપાળમાં દાખલ થનારા લોકોના કારણે વધી રહ્યા છે. નેપાળમાં બુધવારે કોરોનાના કુલ કેસ ૪૨૭ થઈ ગયા હતા. બીજી તરફ નેપાળે ભારત સાથે સરહદી વિવાદ વચ્ચે નેપાળનો નવો રાજકિય અને વહિવટી નકશો જાહેર કર્યેા છે.
કોવિડ–૧૯ના રોગચાળાને લઈને ઓલીએ મંગળવારે સંસદમાં કહ્યું હતું કે નેપાળમાં બહારથી આવનારા લોકોના કારણે કોરોનાને ફેલાતો રોકવો મુશ્કેલ બની ગયો છે. તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત ઘણા લોકો નેપાળમાં દાખલ થયા છે. વાયરસ બહારથી આવ્યો છે કેમ કે તે પહેલા અહીં ન હતો. અમે સરહદ પર બહારથી થતી ઘૂસણખોરીને રોકી શકે નહીં. ઓલીએ કોરોના વાયરસ લોકડાઉનના ઉલ્લંઘન કરનારા લોકોને જવાબદાર ઠેરવ્યા છે ખાસ કરીને એવા લોકો જેઓ ભારતથી નેપાળમાં ઘૂસણખોરી કરી રહ્યા છે.ઓલીએ કહ્યું છે કે ભારતથી આવનારો કોરોના વાયરસ ઈટાલી અનેચીનથી આવનારા લોકોથી વધારે છે. જે લોકો ગેરકાયદેસર રીતે ભારતથી આવી રહ્યા છે તે દેશમાં વાયરસ ફેલાવી રહ્યા છે અને સ્થાનિક પ્રતિનિધિ અને પાર્ટી નેતા ભારતથી કોઈ પણ જાતના ટેસ્ટિંગ વગર લોકોને લાવવા માટે જવાબદાર છે. તેમણે દાવો કર્યેા છે કે નેપાળની સરકારે શઆતમાં જ વાયરસને રોકવા માટે જરી પગલા ભરી રહી છે અને દેશને કોરોના મુકત કરવો તેમની સૌથી મોટી પ્રાથમિકતા છે.ભારત અને નેપાળ વચ્ચે હાલમાં લિપુલેખમાં માનસરોવર લિંક રોડ બનાવવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે ભારત સરકારના વિરોધ છતાં નેપાળ સરકારે પોતાના દેશનો નવો રાજકિય અને વહિવટી નકશો તૈયાર કર્યેા છે. આ નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરા વિસ્તાર પોતાનો ગણાવ્યો છે. ઓલીએ તે પણ આરોપ લગાવ્યો છે કે ભારતે પોતાની સેનાને ત્યાં તૈનાત કરીને તેને વિવાદાસ્પદ વિસ્તાર બનાવી દીધો છે. તેમણે કહ્યું હતું કે ૧૯૬૦ના દાયકામાં ભારતે સેના તૈનાત કરી અને ત્યારથી નેપાળી લોકોનું ત્યાં જવાનું બધં કરી દીધું હતું