કોઠારીયા રોડ માનવધર્મ આશ્રમની સામે યુવાન જીંદગીથી કંટાળીને પેટ્રોલ છાંટી જીવન ટૂંકાવ્યું

કોઠારીયા રોડ માનવધર્મ આશ્રમની સામે વંડામાં યુવાન પેટ્રોલ છાંટી ભડભડ સળગતા તેને મિત્રોએ બચાવી અત્રેની સિવિલમાં ખસેડયો હતો. યુવાનને તેના માતા-પિતા સાથે સંબંધ નહોતો. રાત્રે ફોન પર એક યુવતી પર ઝઘડો કરતો હતો અને સવારે અચાનક પગલુ ભરી લેતા પરિવારમાં અરેરાી મચી ગઇ છે. આ અંગે ભકિતનગર પોલીસે કાર્યવાહી કરવા તજવીજ આદરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કોઠારીયા રોડ ગણેશનગરમાં રહેતો નિકુંજ ભરતભાઇ વ્યાસ (ઉ.વ.30) નામના યુવાને આજરોજ સવારના સમયે કોઠારીયા રોડ માનવધર્મની સામે મુંબઇ બજાર સેલની પાછળ વંડામાં જઇ પેટ્રોલ છાંટી સળગી જતાં મિત્રોએ તુરંત જ બચાવી 108 મારફતે અત્રેની સિવિલમાં ખસેડયો છે. નિકુંજના મિત્રએ જણાવ્યું હતું કે 8 થી 10 દિવસ મારી દુકાને કામે આવતો હતો અને રાત્રે ત્યાંથી છુટા થવા માટે તેના નીકળતા રૂા.1800 હતા તે તેને આપી દીધા હતાં. તે ગઇકાલે રાત્રીનાં સમયે જૂનાગઢ રહેતી એક યુવતી સાથે ફોન પર વાત કરતો હતો અને બાદમાં ઝઘડો કરવા લાગતા તેને સમજાવ્યો હતો. સવારે દુકાન પાસે આવી પાછળના વંડામાં જઇ પગલુ ભરી લીધુ હતું.નિકુંજના માતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નિકુંજ અમારા કહ્યામાં નહોતો તે અમારાથી અલગ રહેતો અને અમારે કોઇ સંબંધ નહોતો. તેને એક નયના નામની યુવતી સાથે સંબંધ છે. તેની સાથે અવાર-નવાર વાતો કરતો હતો. મારે સંતાનમાં 3 દિકરી અને એક દિકરો છે. આ બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.