કચ્છમાં કોરોનાના નવા ૩૫ કેસ સતહ કોરોનાએ અંજારના યુવાનનો ભોગ લીધો

કોરોનાએ કચ્છમાં પંજો ફેલાવ્યો છે ત્યારે ફરી કચ્છમાં મંગળવારે નવા ૩૫ કેસો નોંધાવા પામ્યા હતા.જે અત્યાર સુધીમાં એક દિવસ ના અંક મુજબ સર્વોચ્ચ છે.  જેમાં, અંજાર- ૯, ભચાઉ-૩, ભુજ-૭, ગાંધીધામ-૯, માંડવી-૫ અને નખત્રાણા તાલુકામાં ૨ કેસો નોંધાવા પામ્યા હતા. દરમિયાન અંજારની ઈન્ડિયા કોલોનીમાં રહેતા ૪૨ વર્ષિય દુર્ગાભાઈ શુકલાનો કોરોનાએ ભોગ લીધો હતો.ગત રોજ ૬ ઓગસ્ટના તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ હોતા જનરલ હોસ્પીટલમાં દાખલ કરાયા હતા.