ભોરારા પાટીયે કોઈ અજાણ્યા વાહન હડફેટે લેતા અંજારના યુવકનું મોત નીપજયું

મુન્દ્રા તાલુકાના ભોરારા ગામના પાટીયા નજીક કોઈ અજાણ્યા વાહનની ટકકરે પગે ચાલીને જઈ રહેલા અંજારના માલધારીનું મોત થયું હતું. અંજાર તાલુકાના ભાદરોઇ ગામના માનાભાઇ લખબીરભાઇ રબારી (ઉ.વ.45) સોમવારે સવારે આઠ વાગ્યાના અરસામાં પગે ચાલીને ટોડા ગામની વાડીએ જતા હતા ત્યારે ભોરારા પાટીયા બસ સ્ટેશન પાસે પાછળથી પુરપાટ આવી રહેલા અજાણ્યા વાહનના ચાલકે ટકકર મારતાં માનાભાઇને માથાના ભાગે ગંભીર ઇજજાઓ થઇ હતી. જેને સારવાર માટે મુન્દ્રાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ સબંધે ટોડા રોડ સ્થિત વાડીમાં પશુપાલનનો વ્યવસાય કરતા હમીરભાઇ અખઇ રબારીની જાણવા જોગ નોંધ પરથી મુન્દ્રા પોલીસે અજાણ્યા વાહન સામે ગુનો નોંધીને પીએસઆઇ ભાવેશ ભટ્ટે કાર્યવાહી હાથ ધરી છે.