રૈન બસેરા ના માધ્યમથી એક પિતાનું પુત્ર સાથે પુનઃમિલન

શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ અને નગર પાલિકા કચેરી ના સયુંકત ઉપક્રમે ચાલતા ઘર વિહોણા લોકો નું આશ્રમ (માં બાપનું ઘર ) જ્યાં ઘર વિહોણા લોકો , માસિક બીમાર લોકો ,શારીરિક અશક્ત લોકો , નિરાધાર લોકો , ફૂટપાથ પર રહેતા લોકો ને આશ્રય આપવામાં આવે છે. અને સંસ્થા દ્વારા તમામ પ્રકાર ની સુવિધાઓ આપવામાં આવે છે. જેથી કરી આ નિરાધાર લોકો ને પોતાના પણું લાગે તેમજ સામાન્ય વ્યક્તિ ની જેમ પોતાની જિંદગી જીવી શકે .

              આ ઉપરાંત સંસ્થા દ્વારા વિવિધ તહેવારો , સામાજિક અગ્રણી તેમજ સંસ્થા ના ટ્રસ્ટી તેમજ મંત્રી ના જન્મદિન ની ઉજવણી આ લોકો સાથે કરવામાં આવે છે. જેથી એમના તહેવારો પણ ખુશી ખુશી પસાર થઇ શકે. આ લોકો ના ચહેરા પર સ્મિત રાખવાના હેતુ થી આવા તહેવારો તેમજ પ્રસંગો ની ઉજવણી આ આશ્રમ ખાતે કરવામાં આવે છે.

       આ આશ્રમ મધ્યે હાલ માં એક પિતા નું પુત્ર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.હાલ માં જયારે ભુજ માં અતિભારે વરસાદ હતો. એ સમય માં નામે કરીમભાઈ ફસાઈ ગયા હતા અને એમને રૈન બસેરા ખાતે આશ્રય આપવા માં આવ્યો હતો.ત્યાર બાદ એમના પુત્ર નો સંપર્ક કરી એમને રૈન બસેરા ખાતે બોલાવવા માં આવ્યા પોતાના પિતાને અને પિતા ને સુરક્ષિત જોઈ પુત્ર ખુબ ખુશ થયો હતો. અને બંને ની આંખો માં ખુશી ના આંશુ જોવા મળ્યા હતા.અને લાગણી ભર્યું વાતાવરણ સર્જાયું હતું.

           આમ “માં બાપ નું ઘર”   ઘર વિહોણા લોકો ના આશ્રમ ના માધ્યમ થી એક પિતાનું પુત્ર સાથે મિલન થયું હતું.

       આ સેવા કાર્ય માં શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ના મંત્રી શ્રી હેમેન્દ્ર જણસારી , ટ્રસ્ટી હર્ષાબેન સુથાર,આશ્રમ ના મેનેજર સમીરભાઈ મઠીયા , મોહિત સોની ,અનવરભાઈ માજોઠી, તસ્લીમભાઈ મેમણ સહયોગી રહ્યા હતા