ગુજરાતમાં કોરોનાના 1,34,623 કેસ પોઝિટિવ, મૃત્યુઆંક 3,431એ પહોંચ્યો


કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લાગુ કરાયુ અને તબક્કામાં છુટછાટ આપી અનલોક પણ કરવામાં આવ્યુ છે. જો કે છુટછાટ આપ્યા બાદ અનલોક-3માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે. ગુજરાતમાં કોરોના વાયરસ સંબંધિત તમામ અપડેટ…
ગુજરાત રાજ્યમાં 28 સપ્ટેમ્બર, 2020ના રોજ કોરોના વાયરસની સ્થિતિ
- ગુજરાતમાં ફરી 1400થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસનો સિલસિલો યથાવત્
- રાજ્યમાં આજે સોમવારે 1404 નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા
- આજના નવા કેસ સાથે રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1,34,623 પહોંચી ગઇ
- સમગ્ર દેશમાં આજે કોરોનાના નવા દર્દીઓની સંખ્યાના મામલે ગુજરાત 16માં ક્રમે
- આજે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણથી વધુ 12 લોકોએ જીવ ગુમાવ્યો
- રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 3431 થયો
- હાલ રાજ્યમાં કોરોનાના 16,716 એક્ટિવ કેસો છે, એટલે કે આટલા દર્દીઓ સારવાર હેઠળ, હાલ 91 દર્દીઓ વેન્ટિલેટર પર
- તો બીજી બાજુ સારવાર બાદ 1339 કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
- અત્યાર સુધી રાજ્યમાં કોરોના મુક્ત થનાર દર્દીઓનો આંકડો 1.14 લાખને વટાવી ગયે
- રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 85.03 ટકા થયો
- આજે રાજ્યમાં કુલ 61,316 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા
- રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના ટેસ્ટનો આંકડો 42.93 લાખને વટાવી ગયો
- રાજ્યમાં દર 10 લાખની વસ્તીએ દરરોજ સરેરાશ 943.32 ટેસ્ટ થાય છે
રાજ્યમાં કોરોનાવાયરસની સ્થિતિ
- કુલ પોઝિટિવ કેસઃ 1,34,623
- કુલ એક્ટિવ કેસઃ 16,716
- કુલ મૃત્યુઆંકઃ 3431
- સાજા થયેલા દર્દીઓઃ 1,14,476
- આજે થયેલા કોરોના ટેસ્ટઃ 61,316
- કુલ કોરોના ટેસ્ટઃ 42,93,724
- ક્વોરોન્ટાઇન થયેલા લોકોઃ 5,98,673