સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા કોટેસ્વર , નારાયણ સરોવર તેમજ માતાનામઢ માં સખી વન સ્ટોપ સેન્ટર ની માહિતી આપવામાં આવી

ભારત સરકાર ના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અંતર્ગત જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી ના નેજા હેઠળ શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે . આ સેન્ટર મહિલાઓ ને વિવિધ અત્યાચાર સામે ન્યાય અને રક્ષણ આપવાના હેતુ સર વિવિધ હિંસા થી પીડિત મહિલાઓ ને પાંચ પ્રકાર ની સેવાઓ આપવામાં આવે છે. જેમાં ટુકા ગાળા નો આશ્રય,પરામર્શ, તબીબી સહાય , પોલીસ સહાય , કાયદાકીય સહાય  આપવામાં આવે છે. જેમાં પીડિત મહિલા    ને જરૂરિયાત મુજબ ની તમામ સેવાઓ આપવામાં આવે છે.

         આ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આપવામાં આવતી સેવાઓ ની માહિતી જીલ્લા ની પ્રત્યેક મહિલા સુધી પહોચે એ હેતુ થી જીલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન રાવલ, જીલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી જલ્પાબેન ત્રિવેદી,શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ના મંત્રી શ્રી હેમેન્દ્ર જણસારી ના માર્ગદર્શન હેઠળ  સેન્ટર દ્વારા પવિત્ર યાત્રા ધામ એવા કોટેસ્વર મહાદેવ, નારાયણ સરોવર તીર્થધામ તેમજ માતાનામઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં જઈ સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારી નીખીલભાઈ સાધુ, હંસાબેન ભગોરા,ભગવતીબેન ખાંટ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર વિષે માહિતી આપવામાં આવી હતી.

         આ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર ના કર્મચારી દ્વારા સરકાર શ્રી ની વિવિધ મહિલા લક્ષી યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી. બેટી બચાઓ બેટી પઢાઓ, વાહલી દીકરી યોજના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્ય માં માતાનામઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના જાનકીબેન વ્યાસ સહયોગી રહ્યા હતા.            સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આ સેન્ટર ની માહિતી વધુ ને વધુ મહિલાઓ  સુધી પહોચે.તે હેતુ થી સમગ્ર કચ્છ માં સતત સેન્ટર ના પ્રચાર-પ્રસાર ની કામગીરી કરવામાં આવે છે.આપ વાંચક મિત્રો ને અપીલ છે કે આપની આસપાસ જો કોઈ બહેન કોઈપણ પ્રકાર ની હિંસા થી પીડાઈ રહ્યા હોય તો. આપ પણ એમને સખી વન સ્ટોપ સેન્ટર વિષે માહિતી આપી અને એમની જિંદગી ને બચાવી શકો છો.અને આ સેવા યજ્ઞ માં જોડાઈ શકો છો.