માધાપરની હત્યામાં પેરોલ દરમિયાન ભાગેલો આરોપી પકડાયો


માધાપરના ૨૦૧૬ના ખૂન કેસમાં રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલો આરોપી વચગાળાના જામીન બાદ નાસતો ફરતો હોઇ પિમ કચ્છ પેરોલ ફર્લેા સ્કોડે આરોપીને માધાપરથી ઝડપી લીધો હતો. યારે મુન્દ્રાના મારા મારીના કેસમાં નવ વર્ષથી ફરાર આરોપી પોલીસની ગરતમાં આવી ગયો હતો. ભુજ બી ડિવિઝન પોલીસ મથકના ૨૦૧૬ના ખૂન કેસમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવનની સજા ભોગવી રહેલા કેદી રામજી ઉર્ફે પપ્પુ મામદ ઇભલા કોલી (ઉ.વ.૨૮) જેલમાંથી વચ ગાળાના જામીન મેળવીને પરત જેલમાં ન જઇ નાસતો ફરતો હોઇ પિમ કચ્છ પેરોલ ફર્લેા સ્કોડની પર બાતમીના આધારે માધાપર કેશર બાગ રામ મંદિર પાસેથી આરોપીને ઝડપી લીધો હતો. તો બીજી તરફ મુન્દ્રા મરિન પોલીસ મથકના ૨૦૧૧ના મારા મારીના કેસમાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપી રામક્રિષ્ના રાજબહાદુર મિશ્રા(ઉ.વ.૨૮ રહે શાહપુર થાના જીલ્લો સતના–એમપી)ને ઝડપી લીધો હતો. બન્ને વિરૂધ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી