અંજાર તાલુકાના સાપેડા-રતનાલ માર્ગ પર અકસ્માતના બનાવમાં એક નું મોત નીપજયું હતું.

અંજાર તાલુકાનાં સાપેડા- રતનાલ માર્ગ પર અકસ્માતની ઘટનામાં એક શખ્સનું મોત નીપજયું હતું. જ્યારે અન્ય પ્રવાસીઓને ઇજાઓ પહોચી હતી.જાણવા  મળતી માહિતી મુજબ સવારે ૧૧ વાગ્યાના કાર અને બસ વચ્ચે ટક્કર થતાં માધાપરના રહેવાસી કનૈયાલાલ દીલીપ તન્ના (ઉ.વ . ૨૯ ) ને ગંભીર ઇજાઓપહોચતા મોત નીપજયું હતું. આ ઘટનામાં ખાનગી બસ પણ પલ્ટી મારી ગઈ હતી. આ ઘટનામાં બસમાં સવાર પ્રવાસીઓને પણ ઇજાઓ પહોચી હતી. જેઓને ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ માં ખસેડવામાં  આવ્યા છે . આ ઘટનામાં પગલે ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. જેને લઈને પોલીસ સ્થળ પર પહોચી ગઈ હતી. અને ટ્રાફિક જામને હળવો બનાવવા પ્રયાસો કરાયા  હતા. અવારનવાર અહીના માર્ગો પર અકસ્માતની ઘટના બનતી હોય છે.ત્યારે આ બેફામ દોડતા વાહનો સામે લગામ જરૂરી છે.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર TV ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10 : 30 થી 11 : 00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *