આસ્થા દ્વારા દાતાના જન્મોત્સવનો પર્વનો પરોપકારી પરમાનંદ માણ્યો

આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ-ભુજ (સેવા-શિક્ષણ-આરોગ્ય) ના માધ્યમથી આજે દાતા ચીરંજીવી વંશ હેમેંદ્રભાઈ ગોકાણી-માધાપર ના જન્મોત્સવ પર્વ નિમિત્તે એમના પરીવારજનો તરફથી ભુજની આજુબાજુના રંક મજદૂર પરપ્રાંતીય પરીવારજનોની ઝૂંપડપટ્ટી વસાહતોમાં અને શ્રી કચ્છ કલ્યાણ મહિલા અનાથ આશ્રમમાં ફુડ પેકેટોનું વિતરણ કરી અનોખો પરમાનંદ પ્રાપ્ત કર્યો અને કરાવ્યો આ પરોપકારી કાર્યોના પારેવડાઓ આ ટ્રસ્ટના કારોબારી સભ્ય પંકજકુમાર વ્યાસ સાથે ટ્રસ્ટના મુખ્ય ચેરમેન પરેશભાઈ પ્રેમજીભાઈ ઠક્કર દ્વારા સંપન્ન થયું હતું.