ભરૂચની કંપનીમાં બોઈલર બ્લાસ્ટ, 5નાં મોતની આશંકા, 40થી વધુ ઈજાગ્રસ્ત

ભરૂચના ઝઘડિયાથી વધુ એક કંપનીમાં બ્લાસ્ટ (Bharuch Boiler Blast) થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ઝઘડિયામાં UPL કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થતાં 5 લોકોનાં મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.