ભુજ તાલુકાનાં 112 ગ્રામ પંચાયતોના સરપંચોની મિટિંગ બોલાવવામાં આવી હતી.મુખ્ય હેતુ અન્ય તાલુકાની જેમ ભુજ તાલુકાનાં સરપંચોનું સંગઠન રચવામાં આવે તે રહ્યો હતો.

ભુજ ખાતે કુલ 112 જેટલા ગામના સરપંચોનું સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય એજન્ડો કે કચ્છના બીજા બધા તાલુકાનાં સરપંચોનું સંગઠન છે પરંતુ ભુજ તાલુકાનાં સરપંચોનું કોઈ જ પ્રકારનું સંગઠન નથી. ભૌગોલિક દ્રષ્ટિએ મોટો તાલુકો હોવા છતાય સંગઠન રચવામાં નથી આવ્યું. અહીં કયારેક એવો પણ સમય આવે છે. કે સરપંચોના પ્રશ્નોને વાચા નથી મળતી. કોઈ કારણો સર અધિકારીઓ દ્વારા સરપંચોના એક-એક પ્રશ્નો ધ્યાનથી સાંભળવામાં નથી આવતા તો આવી પરિસ્થિમાં સરપંચ સંગઠન દ્વારા રજૂઆતો કરાશે તથા B.P.L કાર્ડ,રેશીનીગ કાર્ડ જેવા અનેક પ્રશ્નોનું સમાધાન માટે કાર્ય કરશે તેવું જણાયું છે.તે તમામ પંચાયતોની ક્ષમતા વધારવા કાર્ય કરશે. અને આ સાથે જ સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે તો તેનો લાભ ગામડાના લોકો સુધી આ સંગઠન દ્વારા પહોંચાડી શકશે તેવું જણાવવામાં આવ્યું.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *