જૂનાગઢ મનપાના સફાઇ અભિયાનમાં કચેરીના જ યુરિનલ ગંદા ગોબરા

જૂનાગઢ,તા. 19
જૂનાગઢ મહાનગર ઓફીસમાં સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવેલ તેમજ ઠેર ઠેર શહેરમાં સફાઈના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પ્રથમઘરે એટલે કે ઓફીસમાંથી સફાઈ સુત્રને સાર્તક કરવા માટે મનપાના શાખા અધિકારીઓ-કર્મીઓ કચેરીની સફાઈ હાથધરી હતી. કચેરીમાં કરવામાં આવી રહેલી સફાઈ યોગ્ય છે કે નહીં ? તે માટે કમિટી પણ બનાવ્યાનું જાણવા મળેલ છે. તેમાં અધિકારીઓ સાથે અરજદારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ ખાટલે મોટી ખોટ ગઇકાલે જ નજરે જોયા મુજબ કર્મીઓ અરદારોના યુરીનલનાં પોખરામાં પાણી જ નથી આવતું. માત્ર યુરીન કરીને જતું રહેવું પડે છે જેથી દુર્ગંધ ચોતરફ ફેલાય છે. તેટલું જ નહીં યુરીનના પોખરામાં ફીનાઈલની ગોળી પણ મુકવામાં આવતી નથી જે તસવીરમાં નજરે પડે છે. જ્યારે અધિકારીના શૌચાલયમાં અલીગઢનું તાળું જોવા મળી રહ્યું છે. લાઈટની પુરતી વ્યવસ્થા પણ ન હોવાથી અંધકાર જોવા મળે છે. આ છે જૂનાગઢ મનપાની સ્વચ્છતા અભિયાનનો નમૂનો.