ઝઘડિયા ટાઉનની મારુતિ રેસિડેન્સી સોસાયટીના ત્રણ બંધ મકાનમાં તસ્કરી


ઝઘડિયા ટાઉનની મારુતિ રેસિડેન્સીમાં રહેતા ઉમેશ માછી તેમના સાઢુભાઈની છોકરીના લગ્ન હોવાથી ખરીદી કરવા માટે વડોદરા ગયા હતા. સવારના અરસામાં ઝઘડિયા ખાતે તેમના ઘરે આવી જોતા દરવાજાનું લોક તોડી તિજોરી ખોલી અંદરથી સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની તસ્કરી કોઈ અજાણ્યા તસ્કરો શખ્સો તસ્કરી કરી ગયેલ છે. જેમાં સોનાની એક ચેન, ચાંદીની ઝાંઝરી, સોનાની વિટી, ચાંદી ની લકી તથા રોકડા રૂપિયા 5 હજાર મળી કુલ 70 હજારની મત્તાની તસ્કરી થવા પામી હતી. જ્યારે તે જ સોસાયટીમાં રહેતા પ્રદીપ વસાવાના ઘરેથી સોનાની બે વીટી, સોનાની કડી, ચાંદીના સાંકડા તથા રોકડા રૂપિયા 20 હજાર મળી કુલ 48 હજારની મત્તાની તસ્કરી થવા પામી છે. આ ઉપરાંત તસ્કરોએ ત્રીજા મકાનને પણ ટાર્ગેટ બનાવ્યું. ત્રણ મકાનના તાળા તોડી બે મકાનમાંથી કુલ રૂપિયા 93 હજાર ના સોના ચાંદીના દાગીના તથા 25 હજાર રૂપિયા રોકડા મળી 1.18 હજારની મત્તાની તસ્કરી થઇ હતી. જે બદલ ઉમેશ મૂળજી માછી એ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે.