થરાદના જાણદી પાસે કારની ટક્કરથી બાઈકચાલકનું મૃત્યુ

થરાદના જાણદી-ભોરોલ ત્રણ રસ્તા પર બેફામ કારચાલકે પાછળથી ટક્કર મારતાં બાઇક પર આવી રહેલા જાણદી ગામના યુવકનું મૃત્યુ થયું હતું. અક્સ્માત બાદ કાર પણ પલટી ખાઇ ગઈ હતી. જાણદી-ભોરોલ ત્રણ રસ્તા પર બપોરના અરસામાં સાંચોર તરફથી આવેલી જીજે 08 સીસી 5837 નંબરના ચાલકે જીજે 08 એડી 172 નંબરના બાઇક ચાલક જાણદી ગામના હિંમતભાઈ પ્રભુભાઈને પાછળથી ટક્કર મારતાં ગંભીર ઇજા પહોચી હતી. આ અંગે થરાદ 108ને જાણ કરાતાં ઇએમટી અને પાયલોટ નાગરભાઈ તથા ભરતભાઈ દોડી આવી પ્રાથમિક સારવાર સાથે યુવકને સરકારી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં મૃત જાહેર કર્યો હતો. સરપંચ ભગવાનભાઇ પટેલ સહિત રેફરલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.પોલીસે મૃતકના ભાઇ મુકેશભાઇની ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો નોંધાયો હતો.