ચીટીંગના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબ માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે બોરતળાવ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. 2151/2020 ઇ.પી.કો.કલમ 406, 420,114 વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી પ્રકાશભાઈ નારણભાઈ વ્યાસ ઉ.વ. 59 રહે. પ્લોટ નંબર 10એ, માતૃછાયા, માધવ દર્શન કોમ્પલેક્ષની સામે, રાધા મંદિર,વાધાવાડી રોડ, ભાવનગરવાળાને આતાભાઈ ચોક, રીલાયન્સ મોલની સામેથી ઝડપી પાડી તેના સામે કાયદેસર કાર્યવાહી કરી, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના પોલીસ હેડ કોન્સ. ઓમદેવસિંહ ગોહિલ તથા પ્રદિપસિંહ ગોહિલ પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ તથા સોહિલભાઈ ચોકીયા જોડાયા હતા.

રિપોર્ટર એઝદ  શૈખ ભાવનગર