ભચાઉમાં તારીખ 14-5-22 થી 31-5-22 કુલ 17 દિવસનો સાયકલ યાત્રા દ્વારા પ્રવાસ..


સાયકલ યાત્રા કોટેશ્વર થી વલસાડ જે કિલોમીટર 1650 ના પ્રવાસે મિલનભાઈ રાવલ તથા શૈલેન્દ્રસિંહ ગોહીલ નીકળેલા. ટીમ નું ભચાઉ લાયન્સ કલબ દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું. લાયન્સ કલબ ઓફ ભચાઉના પ્રમુખ જયેન્દ્રભાઈ શાહ સેક્રેટરી વાય.બી.માહેશ્વરી, ડોક્ટર ધર્મેન્દ્ર પરમાર, જીતુભાઈ જોશી, ભચાઉ શહેર તલાટી ભાવેશભાઈ તથા કલ્પેશ ભાઈ સાહેબ વડીલ અગ્રણી શ્રી ખીમજીભાઈ વિજપારભાઇ સત્રા અન્ય મિત્રો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.
સાયકલ યાત્રા ના ઉદેશો –
1. સાયકલિંગ અને માનવી અને પર્યાવરણીય સ્વાસ્થ્ય માટે પ્રમોટ કરવું. જીવન વ્યવહારમાં સાયકલનો ઉપયોગ વધારવો.
2. પર્યટન સ્થળો તથા અન્ય તમામ સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો તથા તેના નવા વિકલ્પો શોધી તેના અમલીકરણ કરવું.
દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે ભંડોળ નિધિ સેવા એકત્રિત કરવુ.
આ યાત્રા માટે ના ઉદેશોની ચર્ચા કરવામાં આવી, એ બાબતે ક્લબ દ્વારા સહકાર મળવાની ખાતરી આપવામાં આવી.
સાયકલ યાત્રા આજે સામખયાળી પહોંચશે ત્યાં કાર્યક્રમ યોજ્યા બાદ મોરબીના આમરણ ગામ સુધી રાત્રી સાયક્લિંગ નો કાર્યક્રમ રાખેલ છે તો આ કાર્યક્રમમાં મિત્રોને જોડાવવા નમ્ર અપીલ કરવામાં આવી.
રિપોર્ટ ભારતી માખીજાણી