ફરી એક વિદ્યાર્થીએ મોતને વહાલુ કરી,જીવન ટૂંકાવ્યું


છેલ્લા મહિના પહેલા ફરીદાબાદમાં રહેતા એક વિદ્યાર્થીએ મોત ને વહાલું કર્યું હતું. તેની માતા આરતી મલ્હોત્રા પુત્ર માટે ન્યાયની માંગણી કરી રહી છે .આરતી નો આરોપ છે કે,તેમના પુત્રને સેક્સ્યુઆલિટીને સંદર્ભે સ્કૂલમાં પરેશાન કરવામાં આવતો . જેના લીધે તેમના પુત્ર નું દુઃખદ મોત થયું હતું. આરતી મલ્હોત્રા નો આરોપ છે કે, અધિકારીઓને ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નહીં .તેમણે હ્યુમન્સ ઓફ બોમ્બે પર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે તેમના પુત્રને સતત ધમકાવવામાં આવ્યો અને તે યોન ઉત્પિડનનો પણ ભોગ બન્યો હતો
આ મામલે આરતીના જણાવ્યા અનુસાર, તેમના પુત્રએ એક દિવસ કહ્યું કે તેને નેલ પેન્ટ લગાવવી છે અને જ્વેલરી પહેરવી પસંદ છે. આરતી એ તેને કહ્યું કે તું જે છે એવો જ રહે. જ્યારે સ્કૂલ પરીક્ષા માટે ખુલી તો તેણે મને ફોન કરી કહ્યું કે, હું પરીક્ષા આપવા નથી માંગતો .તે રડી રહ્યો હતો. મેં તેને મેસેજ કરીને જણાવ્યું કે, કોઈ વાત નહીં પરીક્ષા છોડી દે ,પરંતુ તેનો કોઈ જવાબ ન આવ્યો ,આરતીએ કહ્યું કે તેના એક જ કલાક બાદ તેમની સોસાયટીમાંથી એક ફોન આવ્યો. તેમણે મારા પુત્રને કંઈક કરી લીધું હોવાની જાણ કરી ,હું ત્યાં પહોંચી ત્યાં સુધી તેનો જીવ જતો રહ્યો હતો .તેણે 15માં માળેથી છલાંગ લગાવી હતી .અને તેણે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે,” હું સૌથી સારી માતા છું” અને “ તેણે મને નવી નોકરી શોધી લેવા પણ કહ્યું હતું”