મોખાણાગામની પ્રાથમિક કુમાર શાળા તથા કન્યાશાળામાં બાલ મેળાનું આયોજન કરવામાં આવ્યું

શ્રી મોખાણાગામ પ્રાથમિક કુમાર શાળા તથા કન્યાશાળામાં બાલ મેળાનું આયોજન કરેલ હતું કુમાર શાળામાં 15 7 2022 અને કન્યાશાળામાં 16 7 2022 ના સવારે 9:00 વાગ્યાથી બાલ મેળાનો કાર્યક્રમ ચાલુ કર્યો હતો કુમાર શાળા ના આચાર્યશ્રી ગોવિંદભાઈ શિક્ષક શ્રી હાર્દિક ભાઈ નિકુલ ભાઈ મફાભાઈ ભાઈ શિક્ષિકાઓ સંગીતાબેન વનીતાબેન ગીતાબેન કુમાર શાળાના વિદ્યાર્થીઓનુ માર્ગદર્શન કર્યું હતું અને કન્યાશાળાના આચાર્યશ્રી હરેશભાઈ શિક્ષક શ્રી નવનીતભાઈ શિક્ષિકાઓ શોભનાબેન હરીતાબેન વીલિયાસ બેન હેમાબેન કન્યા શાળાઓની વિદ્યાર્થીની ઓનું માર્ગદર્શન કર્યું હતું મોખાણા ગામની બહેનોએ કુમાર શાળા તથા કન્યાશાળામાં જઈ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીની ઓને પ્રોત્સાહન કર્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ સંયોજીકા રતનાલ પ્રખંડ રેણુકા સોની એ ભાગ લીધેલા દીકરા દીકરીઓને બોલપેન પેન્સિલ આપી સન્માનીત કર્યા હતા રેણુકા સોની એ મોખાણાગામ વતિ આચાર્યશ્રી ઓ શિક્ષક અને શિક્ષિકાઓનો આભાર વ્યક્ત કર્યો હતો વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ નવું માર્ગદર્શન મળે તે માટે આવા પ્રોગ્રામ કરવા આચાર્યશ્રીઓને વિનંતી કરી હતી



