અંજારના રામદેવનગરમાં લાઈટ ગઇ ને લોકો દ્વારા આ મુદ્દે કરાઇ PGVCL કચેરીમાં તોડફોડ


અંજારમાં છેલ્લા કેટલાક સમયથી અવર નવાર લાઈટ ચાલી જતી હોવાથી લોકો પરેશાન થયા છે. અંજાર GIDC સામે આવેલા રામદેવ નગરમાં લાઈટ ચાલી જતા લોકોએ લાઈન ઓફિસમાં આવી કર્મચારી સાથે ગાળાગાળી કર્યા બાદ તોડફોડ કરી હતી. આ બાબતે પોલીસ ચોપડો કોરો રહ્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર GIDC સામે આવેલા રામદેવ નગરમાં રાત્રે લાઈટ જવાની સમસ્યા ઉત્પન થઈ હતી. જે વીજ પુરવઠો મોડે સુધી કાર્યરત થયું નાં હોવાથી લોકોનો મગજ ગયો અને ટોળું વળી લોકો અંજાર PGVCLની લાઈન ઓફિસે પહોંચી આવ્યા. જ્યાં કર્મચારીની વાત સાંભળવાનાં બદલે લોકો તેના પર જ તૂટી પડ્યા અને ગાળો બોલવા લાગ્યા હતા.
અમુક લોકો દ્વ્રારા તોડફોડ કરવાની શરૂઆત કરાતા લાઈન ઓફીસની બારી અને દરવાજાને નુકશાન પણ પહોંચ્યું હતું. તો બીજી તરફ એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે સરકારી ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારી પણ આ ઘટનામાં સામેલ રહી PGVCL કચેરીની લાઈન ઓફિસના કર્મચારી સામે દાદાગીરી કરાઈ હતી. જોકે આ અંગે અંજાર પોલીસ મથકમાં કોઇપણ પ્રકારની નોંધ કરાવવામાં આવી નથી.
આ અંગે જાણવા મળ્યું હતું કે, રામદેવ નગરમાં વીજ સમસ્યા સર્જાઈ હતી અને સ્ટાફ ઓછું હોવાથી કર્મચારીઓ મોડા પહોંચ્યા , જેથી લોકો વીજ કચેરીએ પહોંચી આવી