અંજારના દબડામાં આવેલ જર્જરિત બસ સ્ટેશન અર્ધ ધરાશાયી થતાં લોકોમાં ભય 

અંજારના દબડામાં આવેલો બસ સ્ટેશન અર્ધ ધરાશાયી થઇ જવાથી આ વિસ્તારમાં રહેતા લોકો અને રાહદારીઓ ભયમાં ફેલાયો છે. આ વિસ્તારમાં સરકારી શાળાઓ અને બાલ મંદિર હોવાથી અર્ધ ધરાશાયી થઇ ચૂકેલા બસ સ્ટેશનને તાત્કાલિક પણે હટાવવાની કામગીરી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.

આ અંગે મળતી માહિતી અનુસાર છેલ્લા લાંબા સમયથી જર્જરિત બનેલો દબડાનો બસ સ્ટેશન રાત્રી વચ્ચે અડધા ભાગેથી ધરાશાયી થઇ ગયો હતો. આ વિસ્તારમાં સરકારી શાળા નં. 16 અને બાલ મંદિર આવેલુ હોવાના કારણે જયારે વહેલી સવારે બાળકો અને વાલીઓ અહીંથી પસાર થયા ત્યારે જાણકારી મળી કે જોખમી રીતે બસ સ્ટેશન ધરાશાયી થઇ ગયું છે.

બાળકોને રજા પડે ત્યારે અમુક બાળકો આ બસ સ્ટેશનમાં જ બેસતા હોય છે. ત્યારે રાત્રી વચ્ચે અર્ધ ધરાશાયી થતા કોઈ જાનહાની કે કોઈને નુકસાન થયું ન હતું. પરંતુ જો આ બસ સ્ટેશનને હટાવવામાં નહિ આવે તો જાન-માલને નુકસાન થવાનો ભય રહેલો છે. જેથી આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.