પાલિતાણામાં ડોકટરે આપઘાત કરતાં ચકચાર

પાલીતાણામાં એક ડોક્ટર યુવાને આપઘાત કરતા ચકચાર મચી છે.પ્રપાત માહિતી મુજબ મૂળ શિહોર તાલુકાના ઢુઢસર ગામમાં રહેતા અને પાલીતાણા મધ્યે ખાનગી ક્લિનિક ચલાવતા ડો.યુવરાજસિંહ ભુપતસિંહ રાઠોડે (ઉંમર વર્ષ 28 ) કોઇ અકળ કારણોસર પોતાના ક્લિનિકમાં ગળેફાંસો ખાઇ જીવનની ડોર ટૂંકાવી લીધી.આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે

આ ડોકટર પાલીતાણાના લુવારવાવ રોડ પર બાપા નામનું ક્લિનિક ધરાવતા હતા અને નાની વયે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ ગયો છે. ડોક્ટરની આત્મહત્યાનું કારણ જાણી નથી શકાયું. પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને લાશને પીએમ માટે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.