નસવાડી પાસે અશ્વિન નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયેલ યુવકનું ડૂબી જવાથી મોત

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નવી નગરીના ગણપતીનું વિસર્જન અશ્વિન નદીમાં કરવા જતાં ધર્મેશભાઈ ભલાભાઈ ઉર્ફે ભમ્પુ નામનો યુવક ડૂબી ગયો હતો. જેની કોઈ ભાણ ન મળતા શોધખોળ કરવામાં આવી હતી ત્યારે આજે તેનો મૃતદેહ મળી આવતા નસવાડી ગામના નવી નગરી વિસ્તારમાં શોક પ્રસરી ગયો હતો.

નસવાડીનાં નવી નગરી વિસ્તારનાં લોકો ગણપતિ વિસર્જન કરવા ગયા હતા. જ્યાં ગઈકાલે અશ્વિન નદીમાં ગણેશ વિસર્જન વેળાએ 30 વર્ષીય યુવાન ધર્મેશભાઈ ભલાભાઈ ઉર્ફે ભમ્પુના ડુબી જવાનો બનાવ બન્યો હતો. યુવકના ડૂબી જવાના કારણે રાત્રીના સમયે ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ યુવકનો ક્યાંય પત્તો લાગ્યો નહિ અને આજે સવારના યુવકનો મૃતદેહ મળી આવતાં નસવાડી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી.