સિદ્ધપુર નજીક બ્રાહ્મણવાડા પાસે 40 મુસાફરો ભરેલી બસ પલટી, 1નું મોત

copy image

સિદ્ધપુર-ઊંઝા હાઇવે ઉપર બ્રાહ્મણવાડા નજીક એસટી બસનું સ્ટિયરિંગ લોક થઈ જતાં ડ્રાઈવરે કાબૂ ગુમાવી ડેટા બસ રોડની સાઈડમાં ચોકડીમાં પલટી મારી જવાથી 35થી વધુ મુસાફરોને ગંભીર ઇજાઓ થઈ હતી. આ બનાવમાં  સ્થળ પર જ બસના કંડક્ટરનું મૃત્યુ થયું હતું.

પાલનપુરથી છોટાઉદેપુર તરફ મુસાફરો ભરી જઈ રહેલ એસટી બસનું રાત્રે 9 વાગ્યાની આસપાસ સ્ટિયરિંગ લોક થઈ જતાં સિદ્ધપુર ઊંઝા હાઇવે ઉપર બ્રાહ્મણવાડા ગામ પાસે બસના ચાલકે કાબૂ ગુમાવી ડેટા બસ પલટી મારી ગઈ હોવાથી અકસ્માત સર્જાયો. બસ પલ્ટી મારતાં અંદર સવાર મુસાફરોની ભયજનક બૂમો અને બસના ધડાકાભેર અવાજ રસ્તા પર ગુંજ્યાં હતા

અક્સ્માતમાં એકનું મોત તેમજ 35 મુસાફરોને ગંભીર ઇજાઓ થઈ હતી.રસ્તા પર પસાર થતા વાહન ચાલકો બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢી 2 એમ્બ્યુલન્સ સહિત ખાનગી વાહનોમાં તાત્કાલિક ઈજા પામેલા મુસાફરોને સિદ્ધપુર સિવિલમાં સારવાર માટે ખસેડ્યા છે. 10 જેટલા મુસાફરોની ગંભીર હાલત હોવાથી વધુ સારવાર માટે ધારપુર ખસેડ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવવામાં આવ્યું હતું.

​​અકસ્માતના પગલે સિદ્ધપુર ડીવાયએસપી સહિતના પોલીસનો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો.​​​​​​​ અકસ્માતમાં બસના ડ્રાઈવર ભુપતભાઈ પણ ગંભીર ઇજાઓ પહોચી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે બસનું સ્ટિયરિંગ અચાનક લોક થઈ ગયું હતું જેથી બસ કાબુમાં રહી નહિ અને પલટી મારી ગઈ છે. વધુ કંઈ જણાવ્યું હતું નહિ.