અંકલેશ્વરમાં ચોર પોલીસ ચોકીમાંથી ખુરશી ચોરી ગયા

અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસેની પોલીસ ચોકીમાંથી ચોર ખુરશી ચોરી ગયાં છે. રાજ્યમાં હવે તો જાણે પોલીસ ચોકીઓ પણ સુરક્ષિત રહી નથી.

નર્મદા મૈયા બ્રિજ બન્યાં પછી અંકલેશ્વર શહેરના મુખ્યમાર્ગો પર વાહનોની અવરજવર વધી ગઈ છે. ત્રણ રસ્તા સર્કલ પર ટ્રાફિકની વ્યવસ્થા સંભાળતા જવાનોના આરામ માટે પોલીસ ચોકી બનાવાઇ છે. ગત રોજ આ ચોકી ચોરોના નિશાને ચળી હતી. ચોર પોલીસ ચોકીમાંથી ખુરશીઓની ચોરી કરી નાસી ગયાં હતાં. સવારે જવાનો ચોકી પર આવ્યાં ત્યારે એક તુટેલી સિવાયની બધી ખુરશીઓ ગાયબ જણાઈ હતી. એક બાજુ અહીં મોડી રાત્રી સુધી પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં હોય છે ઉપરાંત રાત્રી ના પેટ્રોલિગની ગાડી પણ ફરતી હોય છે. આવા સંજોગોમાં પણ ચોર ખેલ ખેલી ગયાં હતાં.