માધાપરમાં તળાવમાં પગ લપસવાના કારણે યુવકનું મોત


ભુજ તાલુકાના માધાપર મધ્યે તળાવમાં પડી જવાથી યુવાનનો મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર માધાપરના જુનાવાસમાં મતિયા કોલોનીમાં રહેતો 32 વર્ષીય અર્જુનભાઇ તેજપાલભાઇ મહેશ્વરી નામના યુવકનો જુનાવાસના આંબડકરવાસમાં આવેલા જગાવાળા તળાવમાંથી સવારે નવ વાગ્યાના આસપાસ મૃત દેહ મળ્યો હતો. જેમને બહાર કાઢીને હોસ્પિટલ મધ્યે લઇ જવાતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અંગે માધાપર પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, અર્જુનભાઇનો અકસ્માતે પગ લપસી જવાથી તળાવમાં પડી જતાં મૃત્યુ થયું હતું. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.